અંકલેશ્વર: GIDCની કોહિનૂર સોસાયટી દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી
અયોધ્યામાં નુતન મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજ્યા છે ત્યારે અંકલેશ્વર GIDCની કોહિનૂર સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી.
BY Connect Gujarat Desk23 Jan 2024 7:04 AM GMT
X
Connect Gujarat Desk23 Jan 2024 7:04 AM GMT
અયોધ્યામાં નુતન મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજ્યા છે ત્યારે અંકલેશ્વર GIDCની કોહિનૂર સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી.
500 વર્ષના સંઘર્ષ બાદ પાવન ભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ભવ્ય મંદિરમાં બિરાજ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિસ્ઠા કરવામાં આવી હતી ત્યારે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિનાથ મહાદેવ મંદિર પાસે આવેલ કોહિનૂર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પણ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાઆરતીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે જ બાળકોએ વેશભૂષા ધારણ કરી હતી. સદર ધાર્મિક કાર્યક્રમોમાં સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા
Next Story