Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : GIDC વિસ્તાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે “આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ” યોજાયો...

GIDC વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી રોડ પર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી રોડ પર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલધામ શતાબ્દી મહોત્સવ તથા 1008 શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75માં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી રોડ પર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે માનવ સેવાના શુભ આશયથી આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.

Next Story