અંકલેશ્વર : તૃણમુલ કોંગ્રેસના સાંસદના નિવેદન સામે જૈન સમાજનો વિરોધ
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા એક નિવેદનના કારણે જૈન સમાજના રોષનો સામનો કરી રહયાં છે.
BY Connect Gujarat Desk7 Feb 2022 12:29 PM GMT
X
Connect Gujarat Desk7 Feb 2022 12:29 PM GMT
પશ્ચિમ બંગાળમાં ભાજપને હરાવી કલીન સ્વીપ કરનાર તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા એક નિવેદનના કારણે જૈન સમાજના રોષનો સામનો કરી રહયાં છે.
સમસ્ત જૈન સમાજ અંકલેશ્વર અને ભાજપ મીડિયા સેલ દ્વારા પશ્ચિમ બંગાળના ટી.એમ.સીના સાંસદે જૈન સમાજ પર કરેલી અભદ્ર ટિપ્પણી મુદ્દે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. સાંસદ મહુઆ મોઈત્રાએ સંસદમાં જૈન સમાજના દીકરા-દીકરીઓ પરિવારથી છુપાઈને નોનવેજનું સેવન કરતાં હોવાનું નિવેદન આપ્યું છે. આ નિવેદનથી જૈન સમાજ ધાર્મિક લાગણી દુભાઇ હોવાનું અનુભવી રહયો છે. મહિલા સાંસદ જાહેરમાં જૈન સમાજની માફી માંગે તેવી માંગ આવેદનપત્રમાં કરાય છે. આવેદનપત્ર આપતી વખતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જૈન સમાજ આગેવાન હેમંત શાહ, જનક શાહ સહીત મીડિયા સેલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story