અંકલેશ્વર: અવાદર ગામે જુગાર રમતા 3 જુગારી ઝડપાયા, રૂ.50 હજારનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર તાલુકા પોલીસે અવાદર ગામના મંદિર ફળિયામાંથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ૫૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જયારે અન્ય ચાર જુગારી ફરાર થઇ ગયા હતા.
BY Connect Gujarat18 July 2023 9:46 AM GMT
X
Connect Gujarat18 July 2023 9:46 AM GMT
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના મંદિર ફળિયામાં આંબલીના ઝાડ નીચે જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસના દરોડાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે સ્થળ પરથી રોકડા ૧૦ હજાર અને બે મોટર સાઈકલ,બે ફોન મળી કુલ ૫૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દઢાલ ગામના ઘંટી વાળી ચાલીમાં રહેતો જુગારી તોસીફ ઉર્ફે શેરા ઈસ્માઈલ શેખ,લાલુ વસાવા અને કિશોર અર્જુન પટેલને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય ચાર જુગારીયોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Next Story