અંકલેશ્વર: ONGC ઓવરબ્રીજ પર પતંગના દોરાથી રક્ષણ આપતા તાર લગાવાયા,વાહનચાલકોને મળશે રક્ષણ
BY Connect Gujarat Desk14 Dec 2022 12:15 PM GMT
X
Connect Gujarat Desk14 Dec 2022 12:15 PM GMT
ભરૂચ બાદ અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ઑ.એન.જી.સી.બ્રિજ ઉપર વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા માટે કેબલ તાર બાંધવામાં આવ્યા છે
મકરસંક્રાંતિ પર્વ પૂર્વે પતંગના દોરાથી વાહન ચાલકોને રક્ષણ મળે તે માટે ભરૂચ નગર પાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રીજ ઉપર તાર બાંધવામાં આવ્યા છે જેને લઇ આજરોજ અંકલેશ્વર નગર પાલિકા વાહન ચાલકોની સેફ્ટી માટે ઑ.એન.જી.સી.બ્રિજ ઉપર પોલની બંને બાજુ કેબલ તાર લગાવવામાં આવ્યા છે અને પતંગના દોરાથી કોઈપણ વાહન ચાલકનું ગળું નહી કપાઈ તે માટે પગલા લેવામાં આવ્યા છે.ત્યારે વાહન ચાલકો બાઈક ઉપર આગળ સળિયા લગાવી બાળકોને આગળ નહી બેસાડવા તકેદારી રાખે તે અત્યંત જરૂરી છે.
Next Story