અંકલેશ્વર: જુના છાપરા ગામે અનોખું વનકવચ ઉભુ કરાયુ,જાપાની ટેકનોલોજીની લેવાય મદદ

અંકલેશ્વરના જુના છાપરા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અનોખુ વન કવચ ઊભું કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર: જુના છાપરા ગામે અનોખું વનકવચ ઉભુ કરાયુ,જાપાની ટેકનોલોજીની લેવાય મદદ

અંકલેશ્વરના જુના છાપરા ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અનોખુ વન કવચ ઊભું કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લામાં જંગલ વિસ્તાર નષ્ટ થઈ રહ્યો છે.જેને પગલે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને કોંક્રિટના જંગલોમાં વસવાટ કરવાનો વારો આવ્યો છે ત્યારે અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વનકવચ ઊભું કરવામાં આવ્યું છે.જેમાં ઓછી જગ્યામાં વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષોનું આવરણ વધે તે માટે એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે.જાપાનના વૈજ્ઞાનિક અકિરા મિયાવાંકી દ્વારા બે છોડ વચ્ચે ઓછું અંતર રાખી વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.આ વન કવચમાં 1 હેક્ટરમાં કુલ 10,846 વૃક્ષોનું વાવેતર કરાયું છે.જે માત્ર 20 થી 30 વર્ષના સમયગાળામાં મોટું જંગલ તૈયાર થવાની આશા સેવાઇ છે.તેમાં અલગ અલગ 49 પ્રજાતિના લીમડો, કણજી, ખાટી આંબલી, ગોરસ આંબલી, જમરૂખ, દાડમ, સેતુર, બદામ, ટીમરૂ, ફણસ, સીતાફળ સહિતનો સમાવેશ થાય છે. જ્યારે ગામના લોકો માટે પણ બગીચો, વોક -વે અને કસરત કરવાનાં સાધનો મૂકવામાં આવ્યા છે.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.