Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પુનગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી ઝડપાયો

અંકલેશ્વર : પુનગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી ઝડપાયો
X

ગત તારીખ-૧૪મી માર્ચથી ૧૬મી માર્ચના ૨૦૨૨ના રોજ અંકલેશ્વર તાલુકાના પુનગામની સીમમાં તસ્કરો ત્રાટક્યા હતા અને વીજ ટ્રાન્સફોર્મરને તોડી ઓઇલ, કોપર મળી ૨૨ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યો હતો તે દરમિયાન સુરત ડીસીબી પોલીસે સુરતના પુણા ગામના ગુરુ નગરમાં રહેતો ભવનસિંગ ઉર્ફે કરણસિંગ રાજપૂતને ઝડપી પાડ્યો હતો જેની પુછપરછ કરતા તે અંકલેશ્વરના પુનગામની સીમમાંથી ચોરી થયેલ વીજ ટ્રાન્સફોર્મરમાં સંડોવાયેલ હોવાનું કબુલ કરતા સુરત ડીસીબી પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story