અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ નજીક સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં ભાગદોડ મચી...

શહેરના ત્રણ રસ્તા સર્કલ પર બ્રિજ નગર નજીક આવેલ સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી.

New Update
અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ નજીક સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં ભાગદોડ મચી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પર બ્રિજ નગર નજીક આવેલ સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પર બ્રિજ નગર નજીક આવેલ સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ બપોરના સમયે અચાનક ધરાશાયી થયો હતો. કોમ્પ્લેક્સની ગેલેરીનો ત્રીજા માળે રહેલો કેટલોક ભાગ ધરાશાયી થતાં જ આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. તો બીજી તરફ, આ ઘટનામાં સુપર કોમ્પ્લેક્સ શોપિંગની નીચે આવેલ કેટલીક દુકાનોને પણ નુકશાન પહોંચવા પામ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિવસ દરમ્યાન ઈમારત નજીક મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. પરંતુ બપોરનો સમય અને લોકોની અવરજવર ઓછી હોવાથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. જોકે, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સમયાંતરે શહેરની જર્જરિત ઇમારતોને વહેલી તકે ઉતારી લેવા તેમજ આવી ઇમારતોના સમારકામ માટે જે તે મિલકત ધારકોને નોટિસ પાઠવી સૂચનાઓ પણ આપવામાં આવે છે. પરંતુ જર્જરિત ઇમારતો જ્યારે પણ ધારાશાયી થાય છે, ત્યારે અંકલેશ્વર પાલિકા દ્વારા કરવામાં આવતી આ કામગીરી માત્ર સંતોષ માનવા માટે થતી હોવાનો તેમજ પાલિકાની બેદરકારીભરી કામગીરીના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાતી હોવાનો પણ એક તરફ આક્ષેપ થઈ રહ્યો છે.

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.