ભરૂચ: અંકલેશ્વરમાં ખાનગી બેન્કના ATM ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ; સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

અંકલેશ્વરમાં ATM ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ, તસ્કરની તમામ હરકત CCTV કેમેરામાં કેદ.

New Update
ભરૂચ: અંકલેશ્વરમાં ખાનગી બેન્કના ATM ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ; સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

ભરૂચમાં અંકલેશ્વર રાજપીપળા રોડ પર ખાનગી બેન્કના ATM ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી છે.

ભરૂચ જિલ્લામાં વિવિધ બેંકના એ.ટી.એમ. હવે તસ્કરો પોતાના નિશાને લઇ રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર એક ખાનગી બેંકના એ.ટી.એમ.ને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયા બાદ વધુ એક ઘટના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર-રાજપીપળા રોડ પર વિજય નગર પાસે આવેલ AXIS બેંકના એ.ટી.એમ.ને અજાણ્યા બુકાનીધારી ઈસમે નિશાન બનાવી તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે તોડવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે અજાણ્યા બુકાનીધારી તસ્કરની તમામ હરકત એ.ટી.એમ.માં લાગેલ સીસીટીવીમાં કેદ થતા બેંકના સંચાલકો દ્વારા ફૂટેજની મદદથી પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મહત્વની બાબત છે કે, રાત્રીના સમયે એ.ટી.એમ. તોડી ચોરી કરવાની ફિરાકમાં ફરતા તસ્કરો જિલ્લામાં સક્રિય બન્યા હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.
Latest Stories