અંકલેશ્વર: વરસાદમાં બિસ્માર બનેલા માર્ગોનું કરાશે રીકાર્પેટીંગ, MLA ઈશ્વરસિંહ પટેલના હસ્તે કામગીરીનો થયો પ્રારંભ

અંકલેશ્વર નગર પાલિકા હસ્તકના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે રીકાર્પેટીંગના કામનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

New Update
અંકલેશ્વર: વરસાદમાં બિસ્માર બનેલા માર્ગોનું કરાશે રીકાર્પેટીંગ, MLA ઈશ્વરસિંહ પટેલના હસ્તે કામગીરીનો થયો પ્રારંભ

અંકલેશ્વર નગર પાલિકા હસ્તકના બિસ્માર ૧૭ જેટલા માર્ગોનું ૧.૪૦ કરોડની ગ્રાન્ટના ખર્ચે રીકાર્પેટીંગના કામનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

અતિભારે વરસાદને પગલે અંકલેશ્વર શહેરમાં વિવિધ માર્ગો બિસ્માર બની ગયા હતા જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને યાતનાઓ વેઠવાનો વારો આવી રહ્યો છે આ અંગે સ્થાનિકોએ અંકલેશ્વર નગર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરતા જે રજૂઆતને ધ્યાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા બિસ્માર માર્ગો માટે ૮૦ લાખ અને નગર પાલિકાએ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ૭૦ મળી કુલ ૧.૪૦ કરોડના ૧૭ જેટલા માર્ગોના રીકાર્પેટીંગના કામ મંજૂર કરવામાં આવ્યા છે જે રીકાર્પેટીંગના કામનું આજરોજ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ ખાતમુહુર્તમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા,કારોબારી ચેરમેન સંદીપ પટેલ અને શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ નીલેશ પટેલ સહિતના નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.