અંકલેશ્વર: ઇક્કો કારમાંથી સાયલન્સરની ચોરીનો સિલસિલો યથાવત, વધુ 3 કારમાં ચોરી

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં પાર્ક કરેલ બે ઇક્કો કારમાંથી બે સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

New Update
અંકલેશ્વર: ઇક્કો કારમાંથી સાયલન્સરની ચોરીનો સિલસિલો યથાવત, વધુ 3 કારમાં ચોરી

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં પાર્ક કરેલ બે ઇક્કો કારમાંથી બે સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા તો અન્ય એક સ્થળે પણ સાયલન્સર ચોરીના ગુનાને તસ્કરો દ્વાર અંજામ આપવામાં આવ્યો હતો

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં રહેતા સરફરાજ પટેલે પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એન.૧૩૭૭ ગતરોજ રાતે પોતાના ઘર પાસે પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની ઇક્કો કારમાંથી અંદાજીત ૫૦ હજારના સાઈલેન્સરને બદલી જુનું ફીટ કરી ફરાર થઇ ગયા હતા જયારે જૂની કોલોનીમાં રહેતા અન્ય રહીશની ઇક્કો કારમાંથી પણ સાઈલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે કાર માલિકોએ જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

તો અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર મોદી નગર સ્થિત ક્રિષ્ણ નગરમાં રહેતા વિનોદકુમાર દલાભાઈ પટેલ અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે જેઓએ ગત તારીખ-૯મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ જય અંબે કિરાણા સ્ટોર પાસે પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.ડી.સી.૩૭૧૨ પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરોએ તેઓની કારમાં રહેલ ઓરીજનલ સાઈલેન્સર મળી કુલ ૪૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિ નગર સોસાયટીમાં રહેતા કમલેશ ઠાકોરભાઈ પટેલએ પોતાની સોસાયટીમાં આવેલ કમ્પાઉન્ડમાં ગત તારીખ-૫મી ફેબ્રુઆરીના રોજ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એન.૬૨૭૯ પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરોએ તેઓની ઇક્કો કારને નિશાન બનાવી કારમાંથી ૩૫ હજારના સાઈલેન્સરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આયોજન

  • પાલિકા ડિસ્પેન્સરી ખાતે કરાયું રક્તદાન શિબિરનું આયોજન

  • ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન 

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.