અંકલેશ્વર : સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું...

જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

New Update
અંકલેશ્વર : સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જેમાં આજની યુવાપેઢીમાં વ્યસનમુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા ઉપર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ સમાજમાં વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાસલ કરનાર વ્યક્તિ વિશેષનું સન્માન તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સૌરાષ્ટ્ર આહિર સમાજના પીએસઆઇ, ડોક્ટર, વકીલ અને જજ સહિતના સરકારી કર્મચારી તથા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સમાજના શ્રેષ્ઠીઓનું સમાજ દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગાંધીનગર સચિવાલયના આનંદ જીજોડિયા, વલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા, સનાતન ધર્મ ભરૂચના ગાદીપતિ સોમદાસ બાપુ, ભરૂચ જિલ્લા આહીર સમાજના પ્રમુખ સાજન આહીર, સમાજ આગેવાન મગન આહિર, સુરેશ આહિર સહિત મુરલીધર યુવક મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
Latest Stories