અંકલેશ્વર : સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું...

જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

New Update
અંકલેશ્વર : સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જેમાં આજની યુવાપેઢીમાં વ્યસનમુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા ઉપર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ સમાજમાં વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાસલ કરનાર વ્યક્તિ વિશેષનું સન્માન તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સૌરાષ્ટ્ર આહિર સમાજના પીએસઆઇ, ડોક્ટર, વકીલ અને જજ સહિતના સરકારી કર્મચારી તથા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સમાજના શ્રેષ્ઠીઓનું સમાજ દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગાંધીનગર સચિવાલયના આનંદ જીજોડિયા, વલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા, સનાતન ધર્મ ભરૂચના ગાદીપતિ સોમદાસ બાપુ, ભરૂચ જિલ્લા આહીર સમાજના પ્રમુખ સાજન આહીર, સમાજ આગેવાન મગન આહિર, સુરેશ આહિર સહિત મુરલીધર યુવક મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક

author-image
By Connect Gujarat Desk
New Update
WhatsApp Image 2025-06-23 at 2.33.37 PM (1)
ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી. 
Latest Stories