Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDCની ગટ્ટુ વિદ્યાલય ખાતે ૨૬મો પુસ્તક મેળો યોજાયો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગટ્ટુ વિદ્યાલય ખાતે ૨૬મો પુસ્તક મેળો યોજાયો હતો જેનો વાંચન પ્રેમીઓએ લાભ લીધો હતો

X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગટ્ટુ વિદ્યાલય ખાતે ૨૬મો પુસ્તક મેળો યોજાયો હતો જેનો વાંચન પ્રેમીઓએ લાભ લીધો હતો

અંકલેશ્વર ઇન્સ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલય દ્વારા ૨૬માં પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસીય પુસ્તક મેળાનું આજે ખરોડ પબ્લિક સ્કૂલના આચાર્યા ડો.અંજલિ કુલશ્રેષ્ઠ,રાજેશભાઈ તેમજ મોનાબેનના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સવારે ૧૧.૦૦થી રાત્રીના ૯ વાગ્યા સુધી પુસ્તક મેળો ચાલુ રહેશે આ પુસ્તક મેળાના ઉદ્દઘાટનના કાર્યક્રમમાં શાળા સંચાલન સમિતિના સભ્ય મનોજ આણંદપુરા, સુભાષ પટેલ અને શાળાના ટ્રસ્ટના જનરલ મેનેજર ડો. નિનાદ ઝાલા, ડો.હરેશ શાહ, ચૌલાબેન શાહ, કેમ્પસ ડાયરેકટર મિશેલ ગણેશાણી, પ્રિન્સીપાલ ડો.અંશુ તિવારી, વાઇસ પ્રિન્સીપાલ પ્રકાશ લાડ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા પુસ્તક મેળાનું સમગ આયોજન અને સંચાલન શાળાના ગંથપાલ હેમલત્તા રાઠોડ અને મહેશ ત્રિવેદીએ કર્યું હતું.

Next Story