અંકલેશ્વર : હવા મહેલ નજીકથી હત્યા કરાયેલી હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ...

જિલ્લાના અંકલેશ્વરના બી’ ડિવિઝન વિસ્તારમાં આવેલ હવા મહેલ નજીકની ખુલ્લી જગ્યામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.

New Update
અંકલેશ્વર : હવા મહેલ નજીકથી હત્યા કરાયેલી હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બી’ ડિવિઝન વિસ્તારમાં આવેલ હવા મહેલ નજીકની ખુલ્લી જગ્યામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બનાવના પગલે અંકલેશ્વર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં હવા મહેલને જોડતા માર્ગ ઉપર આજરોજ સવારના સમયે રસ્તાની બાજુમાં આવેલ એક ખુલ્લી જગ્યામાં એક યુવકનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ નજરે પડતા ભારે ચકચાર મચી હતી. બનાવ અંગેની જાણ સ્થાનિકો દ્વારા અંકલેશ્વર પોલીસ મથકે કરવામાં આવતા ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત બી’ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહનો કબ્જો મેળવી ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રસ્તાની બાજુમાં જ મળી આવેલ મૃતદેહને જે પ્રકારે ઇજા પોહોંચી છે તે જોતા પ્રથમ દ્રષ્ટિએ યુવકની હત્યા થઈ હોવાનું જણાય આવે છે. કારણ કે મૃતદેહ નજીકથી લોહીના ડાઘાવાળો પથ્થર પણ મળી આવ્યો છે, ત્યારે હાલ તો પોલીસે મૃતક યુવકની ઓળખ વિધિ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment