Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : વેલકમ નગરના મકાનમાંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરનાર ઇસમની ધરપકડ

અંકલેશ્વર : વેલકમ નગરના મકાનમાંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરનાર ઇસમની ધરપકડ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત વેલકમ નગરમાંથી મોબાઈલ ફોનની ચોરીના ગુન્હામાં પોલીસે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તારીખ 12મી માર્ચના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત વેલકમ નગરમાં રહેતા સચિન શીશીકાંત પટેલ પોતાના ઘરે હતા. તે દરમિયાન તેઓની માતા મંદિરે જવા નીકળ્યા હતા, તે સમયે ઘરનો દરવાજો ખુલ્લો હોય જેથી લાભ લઈ કોઈ અજાણ્યો ઇસમ તેઓના ઘરમાં પ્રવેશ કરી ટીવી પાસે મુકેલ રૂ. 7 હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરી અંગે અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે મોબાઈલ ચોરીમાં સંડોવાયેલ ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story