અંકલેશ્વર : કોઈપણ ડિજિટલ પેમેન્ટ કરતાં પહેલા વેપારીઓ ચેતજો, તમારી સાથે પણ બની શકે છે આવી ઘટના..!

વેપારી સાથે ડિજિટલ પેમેન્ટના નામે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. Paytm સાઉન્ડ બોક્સ રૂપિયા 499માં આપવાનું કહેતા વેપારી સહમત થાય છે.

New Update
અંકલેશ્વર : કોઈપણ ડિજિટલ પેમેન્ટ કરતાં પહેલા વેપારીઓ ચેતજો, તમારી સાથે પણ બની શકે છે આવી ઘટના..!

અંકલેશ્વરના વેપારી સાથે ડિજિટલ પેમેન્ટના નામે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. Paytm સાઉન્ડ બોક્સ રૂપિયા 499માં આપવાનું કહેતા વેપારી સહમત થાય છે. અને સાઉન્ડ બોક્ષનો ડેમો બતાવે છે. જેમાં મોબાઈલથી એક રૂપિયો નાખવાનું કહે છેમ પણ ટ્રાન્ઝેકશન ફેઈલ થાય છે.

ઠગ વેપારીને "હું મીરાનગર જાઉં છું, અને બીજું સીમ કાર્ડ લઈને આવું છું."ની વાર્તા કરી જાય છે. આ દરમિયાન પહેલાથી જ વેપારીનો મોબાઈલ પાસવર્ડ અને સ્ક્રીન લોક ઠગ યુવાને જાણી લીધા હોય છે. જોકે, વેપારી મોટી ભૂલ કરી દે છે. તે મોબાઈલ દુકાન ઉપર જ છોડી ભજીયાની લારીનો ધારક કામ અર્થે બહાર નીકળી જાય છે, ત્યારે લાગ જોઈને બેઠેલો ગઠિયો ફરીથી આવે છે, અને મોબાઈલના પાસર્વર્ડ અને સ્ક્રીન લોકના આધારે એકાઉન્ટમાંથી રૂપિયા 8 હજાર 300 સેરવી લે છે. પે-ટીએમ સાઉન્ડ બોક્સના નામે પોતાની સાથે કુલ 8799 રૂપિયાની ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા જ વેપારીએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે જાણ કરી હતી, ત્યારે હાલ તો પોલીસે વેપારીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.