અંકલેશ્વર: ઇકો કારના સાયલન્સર પાછળ કેમ પડ્યા છે તસ્કરો ? વાંચો રસપ્રદ વાત
ભરૂચ જિલ્લામાં એમાં પણ ખાસ કરીને અંકલેશ્વરમાં ઇકો કારમાંથી સાયલન્સરની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે.
ભરૂચ જિલ્લામાં એમાં પણ ખાસ કરીને અંકલેશ્વરમાં ઇકો કારમાંથી સાયલન્સરની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. 5 દિવસમાં ઇકો કારમાંથી સાયલન્સર ચોરીના 8 બનાવો સામે આવ્યા છે ત્યારે તમને જણાવીએ કે કેમ ઇકો કારમાંથી જ સાયલન્સરની ચોરી થાય છે
રસપ્રદ વાત એ છે કે બજારમાં વપરાતી ઊંચી કિંમતની કિંમતી ધાતુને કારણે શહેરમાં મારુતિ ઈકો વાનમાંથી સાયલેન્સરની ચોરીમાં વધારો જોવા મળ્યો છે. કારના સાયલન્સર જેને સરળતાથી દૂર કરી શકાય છે તેની કિંમત આશરે 70,000 રૂપિયા જેટલી છે.સાયલન્સરમાં મળતી ધાતુની ધૂળ ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી શકાય છે.
સાયલેન્સરમાં ઉત્પ્રેરક કન્વર્ટર પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ સહિતની ધાતુઓથી બનેલું છે. ધાતુની ધૂળની કિંમત 2000થી 4000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે,જ્યારે સાઇલેન્સરમાં લાગેલા સેન્સરને પણ 20,000 રૂપિયાથી વધુમાં વેચી શકાય છે. મારુતિ સુઝુકી ઇકો ના સાઇલેન્સરની કિંમત 70,000 રૂપિયા પ્રતિ યુનિટ છે.