ફાઈટર એરક્રાફ્ટના દિલધડક સ્ટંટ જોવા માટેનો ભરૂચ નગરવાસીઓને અનેરો અવસર...

સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચના દહેગામ નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ખાતે દિલધડક એર-શોનું આયોજન કરવામાં આવ્યું

New Update
ફાઈટર એરક્રાફ્ટના દિલધડક સ્ટંટ જોવા માટેનો ભરૂચ નગરવાસીઓને અનેરો અવસર...

ભારતીય વાયુ સેનાની 9 એરક્રાફ્ટ ટીમ દ્વારા યોજાશે એર-શો

દહેગામ પાસે એક્સપ્રેસ-વે ખાતે દિલધડક એર-શોનું આયોજન

એરક્રાફ્ટની ટીમ દ્વારા યોજાનાર એર-શોનું રિહર્સલ યોજાયું

એર-શોનો નજારો માણવા ક્લેક્ટર દ્વારા લોકોને અનુરોધ કરાયો

નવયુવાનો ભારતીય સૈન્યમાં જોડાય તે માટેનો સ્તુત્ય પ્રયાસ

તા. 20મી જાન્યુઆરીના રોજ ભારતીય વાયુ સેનાની 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ ભરૂચના દહેગામ નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ખાતે દિલધડક એર-શો દ્વારા ગગન ગજવવા જઈ રહ્યા છે, ત્યારે ભારતીય વાયુ સેનાની એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દ્વારા યોજાનાર એર-શોનું રિહર્સલ યોજાયું હતું.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 20મી જાન્યુઆરી શનિવારના રોજ બપોરે 3થી 4:30 દરમિયાન રિમોટ કંટ્રોલ્ડ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચના દહેગામ નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ખાતે દિલધડક એર-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું રિહર્સલ ઇવેન્ટના પૂર્વ દિને યોજાયું હતું, ત્યારે આ રિહર્સલ ઇવેન્ટને નિહાળવા મોટી સંખ્યામાં ભરૂચના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સૂર્યકિરણ એર-શો નાગરિકોને ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુ સેના સાથે જોડાવામાં મદદ કરવાની અનન્ય તક પુરી પાડે છે, તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુ સેનામાં કરકિર્દી બનાવવાનો જુસ્સો જગાડશે. ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે. તેઓ તેમના અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કરશે. જેનો નજારો માણવા ભરૂચ જિલ્લા ક્લેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે. જેમાં ભરૂચ જિલ્લાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને આ અદભૂત ઘટનાના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

Read the Next Article

ભરૂચ: દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની આજે જન્મ જયંતિ, કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય

ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • મર્હુમ અહેમદ પટેલનું જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ

  • અહેમદ પટેલની પ્રતિકૃતિને પુષ્પાંજલી અર્પણ કરાય

  • કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • અહેમદ પટેલના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું ત્યારે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા
Latest Stories