ભરૂચ : 12 વર્ષીય મુકબધિર કિશોરની કાયમ માટે જતી આંખનું નારાયણ હોસ્પિટલના તબીબોએ કર્યું સફળ ઓપરેશન...

મુકબધિર 12 વર્ષીય કિશોર બલદેવ વસાવા કે, જેઓ બોલી અને સાંભળી શકતો નથી, તેને આંખમાં તકલીફ હતી.

New Update
ભરૂચ : 12 વર્ષીય મુકબધિર કિશોરની કાયમ માટે જતી આંખનું નારાયણ હોસ્પિટલના તબીબોએ કર્યું સફળ ઓપરેશન...

કહેવાય છે કે, મુકબધિર એટલે બોલી અને સાંભળી ન શકે. જોકે, તેણે પોતાની વેદના કોઈને કહેવી હોય તો કેવી રીતે કહે.? આવો જ એક કિસ્સો ભરૂચ જિલ્લાના દયાદારા ગામેથી સામે આવ્યો છે. મુકબધિર 12 વર્ષીય કિશોર બલદેવ વસાવા કે, જેઓ બોલી અને સાંભળી શકતો નથી, તેને આંખમાં તકલીફ હતી. પરંતુ તેને એક આંખમાં ઓછું દેખાતું હોવાનું પરિવારને પણ કહી શકતો ન હતો. મુકબધિર કિશોરની એક આંખ ત્રાસી થવા લાગી હોવાનું પિતાના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક ભરૂચના કોલેજ રોડ પર આવેલ નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે તપાસ અર્થે લઈ ગયા હતા.

નારાયણ હોસ્પિટલમાં તપાસ દરમિયાન ડોક્ટર મિલન પંચાલ તથા આંખના નિષ્ણાંત તબીબોએ તપાસ કરતા મુક બધિરની એક આંખમાં મોતિયો હોય અને તે પાકી ગયો હોવાના કારણે તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર ઊભી થઈ હતી. લાંબા સમય સુધી મુકબધિર કિશોરને તપાસ સાથે હોસ્પિટલ ખાતે ન લવાયો હોત તો તેની આંખની જામરને નુકસાન થવાના કારણે તેણે કાયમ માટે પોતાની એક આંખ ગુમાવવાનો વારો આવી શકે તેવી સ્થિતિ હતી, ત્યારે તાત્કાલિક ધોરણે આંખના નિષ્ણાંત તબીબોએ કિશોરનું ઓપરેશન કરી તેની કાયમ માટે જતી આંખને બચાવી માનવતા મહેકાવી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, આંખના તબીબ ડોક્ટર મિલન પંચાલે આજના ડિજિટલ યુગમાં નાની ઉંમરમાંથી જ બાળકો મોબાઇલના રવાડે ચડી જતા હોય છે. વધુ પ્રમાણમાં મોબાઈલ કે, જે નાની સ્ક્રીન હોય છે, અને સતત મોબાઇલમાં ધ્યાન રાખવાના કારણે બાળકોની આંખો ત્રાસી થવા લાગતી હોય છે. શક્ય બંને તો બાળક 5 વર્ષના થાય ત્યારે તેની આંખની ચકાસણી ચોક્કસ કરાવવી જોઈએ તેવી પણ વાલીઓને અપીલ કરી છે.

Latest Stories