Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બિપરજોય વાવાઝોડાના પગલે 24 ગામને એલર્ટ કરાયા, શહેરભરના મોટા હોર્ડીંગ્સ ઉતારી લેવાયા...

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી તેજ પવન ફૂંકાય રહ્યો છે,

X

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી તેજ પવન ફૂંકાય રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 7 કિલોમીટરમાં આવતા દરિયાઈ પટ્ટીના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ભારે પવન ફૂંકાતા શહેરમાં લાગેલા તમામ મોટા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.

બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર વધુ સાબદું થયું છે. તો બીજી તરફ, છેલ્લા 4-5 દિવસથી દરિયા કાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાય રહ્યો છે. વાવાઝોડાની પ્રતિકુળ અસરોને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 7 કિલોમીટરમાં આવતા દરિયાઈ પટ્ટીના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા ડિઝાસ્ટર અને તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરી દઇ તમામ અધિકારીઓને સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના અપાઈ છે, જ્યારે અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા આદેશ અપાયો છે. ખાસ તો તમામ માછીમારોને બોટ કિનારે લંગારી દઈ દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની સંભવત અસરને લઈ સલામતી તેમજ તકેદારીના ભાગરૂપે શહેરમાં લાગેલા તમામ મોટા હોર્ડિંગ્સ પરના પોસ્ટર દૂર કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન મુજબ વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ તમામ વ્યવસ્થા સાથે પરિસ્થિતિ મુજબ કામગીરી કરવા તૈનાત થયું છે.

Next Story