ભરૂચ : ઝઘડીયાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોના મોત, 20થી વધુ લોકો ઘાયલ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા

New Update
ભરૂચ : ઝઘડીયાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોના મોત, 20થી વધુ લોકો ઘાયલ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્ત 23થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા વડિયા મંદીરેથી દશમ નિમિત્તે દર્શન કરીને પરત ફરતી વેળા દર્શનાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે ઇજાગ્રસ્ત 23થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોચી હતી. ટ્રેક્ટર પલટી જતાં આસપાસના લોકો બચાવ કાર્યમાં જોતરાયા હતા. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સારવાર અર્થે ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ, પોલીસે પણ અકસ્માતે 3 લોકોના મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરતા ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.