Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોના મોત, 20થી વધુ લોકો ઘાયલ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા

X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્ત 23થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા વડિયા મંદીરેથી દશમ નિમિત્તે દર્શન કરીને પરત ફરતી વેળા દર્શનાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે ઇજાગ્રસ્ત 23થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોચી હતી. ટ્રેક્ટર પલટી જતાં આસપાસના લોકો બચાવ કાર્યમાં જોતરાયા હતા. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સારવાર અર્થે ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ, પોલીસે પણ અકસ્માતે 3 લોકોના મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરતા ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Next Story