Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આત્મનિર્ભરભારતના સંદેશ સાથે નિકળેલ સાયકલ યાત્રાનું આમોદમાં કરાયું સ્વાગત

આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે અમદાવાદનાં સાબરમતી આશ્રમથી નિકળેલ એન. સી.સી.કેડેટ્સની સાયલક યાત્રા આજ રોજ ભરૂચના આમોદ ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું

X

આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે અમદાવાદનાં સાબરમતી આશ્રમથી નિકળેલ એન. સી.સી.કેડેટ્સની સાયલક યાત્રા આજ રોજ ભરૂચના આમોદ ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાબરમતી આશ્રમથી નીકળેલી એન. સી.સી.કેડેટ્સની સાયલક યાત્રા આજ રોજ ભરૂચના આમોદ ખાતે આવી પહોંચી હતી.તેમની સાથે દેશના આર્મી જવાનો પણ જોડાયા હતા.સાયકલ યાત્રા દરમિયાન આમોદ પોલીસ પણ સાથે રહી હતી.ગાંધીજીના આત્માનિર્ભરના મૂલ્યોને ચરિતાર્થ કરવા અને લોકો પણ આત્મનિર્ભર બને તેવા સુંદર સંદેશ સાથે સાબરમતી આશ્રમથી સાતમી જાન્યુઆરીથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા દ્વારા ભારતમાં જ ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો

Next Story