Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શ્રી બી.એચ.મોદી વિદ્યામંદિર ખાતે નવનિયુક્ત આચાર્યો અને શુભેચ્છકોનો સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ શ્રી બી.એચ.મોદી વિદ્યામંદિર શાળા ખાતે માધ્યમિક શાળાઓમાં નિયુક્ત આચાર્યો તેમજ શાળા શુભેચ્છકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

ભરૂચ : શ્રી બી.એચ.મોદી વિદ્યામંદિર ખાતે નવનિયુક્ત આચાર્યો અને શુભેચ્છકોનો સન્માન સમારોહ યોજાયો...
X

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ શ્રી બી.એચ.મોદી વિદ્યામંદિર શાળા ખાતે માધ્યમિક શાળાઓમાં નિયુક્ત આચાર્યો તેમજ શાળા શુભેચ્છકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તાર સ્થિત શ્રી બી.એચ.મોદી વિદ્યામંદિર શાળા ખાતે ડો. ગંગુબાઈ હડકર સ્કૂલ, રૂંગટા વિદ્યાલય, અંબેમાતા વિદ્યાલય, નવજીવન વિદ્યાલય સહિતની માધ્યમિક શાળાઓમાં નિયુક્ત કરવામાં આવેલ આચાર્યો તેમજ શાળા શુભેચ્છકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો જિલ્લા વહીવટી કર્મચારી સંઘના પુષ્પેન્દ્રસિંહ રણા, શાળાના મુખ્ય ટ્રસ્ટી મૂલચંદ ચૌહાણ, આચાર્ય હરેન્દ્રસિંહ સિંધા ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે સન્માન પત્ર આપી તેમજ શાલ ઓઢાડી આચાર્યો તેમજ શાળા શુભેચ્છકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે શ્રી બી.એચ.મોદી વિદ્યામંદિરના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધાએ સૌનો આભાર માન્યો હતો.

Next Story