ભરૂચ : નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં પોલીસ જવાનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો…

ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે પોલીસ જવાનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં પોલીસ જવાનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો…

ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે પોલીસ જવાનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના નબીપુર ગામે આવેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે અવાર નવાર મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લેતા હોય છે, ત્યારે આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે નબીપુર પોલીસ મથકના પોલીસકર્મીઓ તેમજ તેમના પરિવારના સભ્યો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં નબીપુર સાર્વજનિક હોસ્પિટલના ડૉ. જીજ્ઞાશા ચોકસી સહિત તબીબી ટીમે સેવાઓ પ્રદાન કરી હતી. મેડિકલ ચેકઅપ કેમ્પ દરમ્યાન નબીપુર પોલીસ મથકના પીએસઆઈ કે.એન.ચૌધરી, સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટી તેમજ ઓફીસ ઇન્ચાર્જ અને કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.