ભરૂચ હોર્સ સમિતિ દ્વારા આમોદ ખાતે અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું.સમનીથી કાવી સુધીના નિર્માણાધીન રેલવે ટ્રેક પર અશ્વપ્રેમી રાજુ રાણા અને અંગેશ રાજ દ્વારા આ અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 50 ઘોડેસવારોએ ભાગ લીધો હતો. 30 કિલોમીટર 35 કિલોમીટર અને ૪૦ કિલોમીટર ઝડપથી દોડનારા અલગ અલગ કેટેગરીના અશ્વની હરીફાઈ યોજાય હતી.
જેમાં ભરૂચ,અંકલેશ્વર,જંબુસર અને કરજણના ઘોડે સવારોએ ભાગ લીધો હતો.અશ્વદોડમાં વિજેતા ઘોડેસવારોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.