ભરુચ : ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોગ સ્પર્ધાનું કરાયું આયોજન, અનેક સ્પર્ધકોએ લીધો ભાગ
યુનો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્ત્વ આપવાના ઉદ્દશે સાથે ૨૧મી જુને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકે ઉજવી સમગ્ર દુનિયામાં યોગના ફાયદા પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે
BY Connect Gujarat Desk13 Aug 2023 12:22 PM GMT
X
Connect Gujarat Desk13 Aug 2023 12:22 PM GMT
ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. યુનો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્ત્વ આપવાના ઉદ્દશે સાથે ૨૧મી જુને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકે ઉજવી સમગ્ર દુનિયામાં યોગના ફાયદા પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ યોગાસન સ્પોર્ટ્સ એશો દ્વારા જિલ્લા સ્તરની યોગાસન ચેમ્પિયનશિપ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ સ્પર્ધામાં જિલ્લાના 200 થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈ વિવિધ યોગના આશન કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા વૉટરવર્ક કમીટીના ચેરમેન હેમન્દ્ર પ્રજાપતિ, યોગાસન સ્પોર્ટસ એસોસિએશનના પ્રમુખ જયપ્રકાશ પાંડે, પવિત્ર બીસવાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story