ભરૂચ : AAPના ઉમેદવારોએ નામાંકનના અંતિમ દિવસે ભર્યું ઉમેદવારી પત્ર, સમર્થકો પણ જોડાયા...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પ્રાંત કચેરીઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

New Update
ભરૂચ : AAPના ઉમેદવારોએ નામાંકનના અંતિમ દિવસે ભર્યું ઉમેદવારી પત્ર, સમર્થકો પણ જોડાયા...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પ્રાંત કચેરીઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. તમામ રાજકીય પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે નીકળ્યા હતા, ત્યારે ભરૂચ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનહર પરમાર પણ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોચ્યા હતા. નાંદેલાવ રોડ સ્થિત AAPના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતેથી DJના ધમધમાટ વચ્ચે રેલી નીકળી હતી, જે રેલી પ્રાંત કચેરીએ આવી પહોચી હતી, જ્યાં સમર્થકોની ઉપસ્થિતિમાં મનહર પરમારે નામાંકન રજૂ કર્યું હતું.

તો બીજી તરફ, ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયેન્દ્રસિંહ રાજ પણ પોતાના નામાંકન માટે ભરૂચની પ્રાંત કચેરીએ પહોચ્યા હતા. મોરબીની ગોઝારી દુર્ઘટનામાં 135 લોકોએ અકાળે પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે તમામ મૃતકોના આત્માને પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે વાગરા બેઠક ઉપર AAPના ઉમેદવાર જયેન્દ્રસિંહ રાજે સાદગીપૂર્વક નામાંકન રજૂ કર્યું હતું. આ દરમ્યાન ઉપસ્થિત AAPના જૂજ કાર્યકરોએ પણ ઉમેદરવારનો ઉત્સાહ વધાર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.