ભરૂચ : રાજકીય દ્વેષથી AAPના MLA ચૈતર વસાવા વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદનો આક્ષેપ...

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદના પડઘા ભરૂચ જિલ્લામાં પણ પડ્યા છે

New Update
ભરૂચ : રાજકીય દ્વેષથી AAPના MLA ચૈતર વસાવા વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદનો આક્ષેપ...

ડેડીયાપાડા AAPના MLA ચૈતર વસાવાને મળ્યું સમર્થન

આદિવાસી સમાજે આવેદન આપીને નોંધાવ્યો વિરોધ

MLA વિરુદ્ધ ખોટી ફરિયાદ થઈ હોવાનો કરાયો આક્ષેપ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ થઈ હોવાના આક્ષેપ સાથે સમગ્ર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ સમર્થનમાં આવ્યો છે, આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીને માર મારવારી અને ફાયરીંગ કરવાની ફરીયાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં સમગ્ર રાજ્યના આદિવાસી વિસ્તારમાં ખળભરાટ મચી જવા પામ્યો છે. જે બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ભુગર્ભમાં ઉતરી જતાં તેઓ હાલ પોલીસ પકડથી દૂર છે. તો બીજી તરફ, AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદના પડઘા ભરૂચ જિલ્લામાં પણ પડ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં સમગ્ર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ ભેગા થઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓ વિરુદ્ધ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ રાજકીય દ્વેષથી પ્રેરિત હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.