ભરૂચ : શેરપુરા ગામ નજીક રોડ પર બે-કાબુ ટ્રક ડિવાઇડર પર ચઢી જતાં સર્જાયો અકસ્માત

New Update
ભરૂચ : શેરપુરા ગામ નજીક રોડ પર બે-કાબુ ટ્રક ડિવાઇડર પર ચઢી જતાં સર્જાયો અકસ્માત

ભરૂચ થી દહેજનો માર્ગ સતત ટ્રાફિકથી વ્યસ્ત રહેતો માર્ગ છે. આ માર્ગ ઉપર અવર નવર અકસ્માતો સર્જાતા રહે છે. આવોજ એક બનાવ આજ રોજ મોડી રાત્રેના સમયે બન્યો હતો.

જેમાં ભરૂચના શેરપુરા ગામ નજીક એક ટ્રક ચાલક કન્ટેનર લઇ જઇ રહ્યો હતો. તે સમયે ટ્રકના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણ સર ટ્રક ડિવાઇડર પર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નહી થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સદનસીબે આ દુર્ઘટના મોડી રાત્રે સર્જાતા મોટી હોનરતા ટળી હતી.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

Latest Stories