/connect-gujarat/media/post_banners/7781c90beb9110894faa2925fc74a3fd967b10369c81be7f604bf35d0a3b1051.webp)
ગુજરાત રાજ્યમાં આદર્શ આચાર સંહિતા જાહેર થઈ ચુકી છે, ત્યારે નેત્રંગમાં 20 જવાની CRPF ટુકડીએ એરિયા ડોમિનેશનનું કાર્ય પૂર્ણ કર્યું હતું. જેમાં નેત્રંગ પોલીસ મથકેથી નીકળી જીનબજાર, મંગળવાળી વિસ્તાર, ગાંધી બજાર, જવાહર બજાર અને ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સાથે રૂટની માહિતી મેળવી છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ટુકડી નેત્રંગ આવી પહોંચી છે. જેમણે આજે પંથકના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને એરિયા ડોમિનેશનની કામગીરી પૂર્ણ કરી છે. ચૂંટણી સમયે કેન્દ્રીય સુરક્ષા કર્મીઓની ટુકડી જે તે રાજ્યમાં ધામા નાખતી હોય છે. જેના ભાગરૂપે નેત્રંગ ખાતે પણ 20 જવાનની એક ટુકડી આવી પહોંચી છે. જેમણે પંથકના વિવિધ વિસ્તારોના રૂટની જીણવટભરી માહિતી સ્થાનિક પોલીસ સાથે મેળવી છે.