Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે શ્રેષ્ઠ શિક્ષકો તથા વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

X

દેશના પુર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં શિક્ષકદિનની ઉજવણી અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. દેશના પુર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે. તેઓ શિક્ષણ પ્રત્યે ખુબ સર્મપિત હતાં અને તેઓ મલયાલમ ભાષાના શિક્ષક હતાં. શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે સન્માન સમારંભનું આયોજન કરાયું હતું. રાજયના સહકારમંત્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના મહેમાનો અને આમંત્રિતો હાજર રહયાં હતાં.

Next Story