ભરૂચ : જંબુસર BRC ભવનમાં શિક્ષકો માટે બાલવાટિકા તાલીમ વર્ગ યોજાયો...

GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષક તાલીમ ભવન-ભરૂચના માર્ગદર્શન હેઠળ BRC ભવન જંબુસર ખાતે પ્રાથમિક સ્તરે બાલવાટિકા શરૂ કરવામાં આવી છે.

New Update
ભરૂચ : જંબુસર BRC ભવનમાં શિક્ષકો માટે બાલવાટિકા તાલીમ વર્ગ યોજાયો...

GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષક તાલીમ ભવન-ભરૂચના માર્ગદર્શન હેઠળ BRC ભવન જંબુસર ખાતે પ્રાથમિક સ્તરે બાલવાટિકા શરૂ કરવામાં આવી છે. આ નવા પ્રકલ્પમાં શિક્ષકોને તાલીમ દ્વારા બાલવાટિકાના બાળકોને કેવી રીતે આનંદમય, પ્રવૃત્તિમય જ્ઞાન આપવું એ તાલીમનો મુખ્ય હેતુ છે. જે અંતર્ગત જંબુસર BRC ભવન ખાતે 120થી વધુ શિક્ષકોને તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમાં શિક્ષકોને બાલવાટિકાના નવા અભ્યાસક્રમ સાથે સુસજ્જ કરવા તાલીમ અપાય હતી. જેનાથી બાળકો માટે શાળા ભારરૂપ નહીં, પરંતુ આનંદની અને રમતની શાળા બનશે. સંપૂર્ણ તાલીમનું સંચાલન BRC કોર્ડીનેટર અશ્વિન પઢીયારે કર્યું હતું. આ બાલવાટિકા તાલીમમાં CRC બીપીનભાઈ સહિત પ્રાથમિક વિભાગ તાલીમાર્થી શિક્ષક મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories