Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસરના સીગામ ખાતે ભાજપનું સંમેલન યોજાયુ, આપના આગેવાનોએ કર્યા કેસરિયા..

ભરૂચના જંબુસર તાલુકાના સીગામ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ભરૂચના જંબુસર તાલુકાના સીગામ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ભરૂચના જંબુસર તાલુકાના સીગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર લોકો સમક્ષ રજૂ કર્યો હતો. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કેટલાક હોદ્દેદારો અને આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા જેઓને સાંસદ મનસુખ વસાવાએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા

Next Story