Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરમાં ભાજપ દ્વારા સેવા હી સમર્પણ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

X

અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સેવા હી સમર્પણનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં લાયન્સ સ્કૂલ ખાતે અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સેવા હી સમર્પણનો કાર્યક્રમ યોજાયો જેમાં રક્તદાન શિબિર,મન કી બાત કાર્યક્રમ અને નમો એપ અભિયાન તેમજ પોસ્ટકાર્ડ અભિયાન હેઠળના કાર્યક્રમ યોજાયા હતા આ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન શિબિરમાં ઉત્સાહ ભેર કાર્યકરોએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story