Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભાજપ દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

X

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વિશેષ અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને પ્રદેશ ભાજપના આર્થિક સેલના કન્વીનર પ્રેરક શાહની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.આ સંમેલન માં 200થી વધુ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા છેલ્લા નવ વર્ષમાં થયેલા વિકાસની ગાથાઓ અંગે વિસ્તુત માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ,તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ ,નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા સહીત તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story