Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા નદીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો...

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા નદીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા નદીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો...
X

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા નદીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા નદીના કિનારે પાણીમાં તરતી હાલતમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ નદીએ રોજ ન્હાવા આવતા લોકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવી હતી, ત્યારે ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પહોચી જોતા નદીમાં તરતી હાલતમાં અજાણ્ય પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો, ત્યારે મૃતદેહ પ્રથમ તો અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ મથકની હદ હોય જેથી અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે જાણ થતાં જ અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Next Story