Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઈ- શ્રમિક કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનાના ૧૭૪ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરાયુ

ઇ શ્રમિક કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનાના 174 લાભાર્થીઓને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું

X

છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ મળે અને લોકો યોજનાઓથી માહિતગાર થાય તેના ભાગરૂપે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5માં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ રોકડીયા હનુમાનજી મંદિર પર આયુષ્યમાન‌ કાર્ડ અને ઇ-શ્રમિક કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 174 જેટલા લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા.આ યોજનાનો લાભ મળશે.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકાપ્રમુખ અમિતચાવડા, ઉપપ્રમુખ નીના યાદવ, નગરસેવક અર્પણ જોશી મોનાશિદે તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા

Next Story