ભરૂચ : કોંગ્રેસના 137મા સ્થાપના દિવસની ઉજવણી, વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરાય

દેશની આઝાદીમાં સૌથી મોટુ યોગદાન આપનારી કોંગ્રેસ પાર્ટી તેનો 137મો સ્થાપના દિવસ ઉજવી રહી છે

New Update
ભરૂચ : કોંગ્રેસના 137મા સ્થાપના દિવસની ઉજવણી, વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરાય

દેશની આઝાદીમાં સૌથી મોટુ યોગદાન આપનારી કોંગ્રેસ પાર્ટી તેનો 137મો સ્થાપના દિવસ ઉજવી રહી છે ત્યારે ભરૂચમાં પણ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૩૭ માં કોંગ્રેસ પક્ષ ની સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વૃદ્ધાશ્રમ વડીલોનું ઘરએ ભોજન કરવામાં આવ્યું..દેશની સૌથી જૂની પાર્ટી એવી કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ મુંબઈ ખાતે થઈ હતી.137 વર્ષ પૂર્ણ થતા ગુજરાત કોંગ્રેસ સમિતિ તારીખ 4 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન ઘડી નાંખવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વૃદ્ધાશ્રમ વડીલોના ઘરે ભોજન કરાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા, શહેર પ્રમુખ વિકકી શોખી,નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.

Read the Next Article

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચમાં યોજાશે જનજાગૃતિ કાર્યક્રમ

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કરાશે ચર્ચા

  • આત્મીય હોલ ખાતે આયોજન

  • સમાજવિદ ડો.અનિલ પટેલ આપશે હાજરી

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “One Nation, One Election” જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને જોતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાશે.કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ ડૉ. અનિલ પટેલ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" વિષય પર  વિચારવિમર્શ રજૂ કરશે. દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હોટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  કિરણ મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સાથે  અનિષ પરીખ સહિત સંસ્થાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories