ભરૂચ: ચૈતર વસાવાએ દેવમોગરા ખાતે કુળદેવીના કર્યા દર્શન, હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જાહેરસભામાં આપશે હાજરી

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

New Update
ભરૂચ: ચૈતર વસાવાએ દેવમોગરા ખાતે કુળદેવીના કર્યા દર્શન, હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જાહેરસભામાં આપશે હાજરી

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધનો નિર્ણય હટાવી દેવામાં આવ્યો છે જેના પગલે તેઓ ગતરોજ રાત્રિના સમયે તેમના વતન ડેડીયાપાડા ખાતે પહોંચ્યા હતા. આજરોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવાનની ઉપસ્થિતિમાં જાહેરસભા યોજાશે તે પૂર્વે વહેલી સવારે ચૈતર વસાવાએ તેમના પરિવારજનો સાથે દેવમોગરા માતાજીના દર્શન કર્યા હતા અને દિવસની શરૂઆત કરી હતી