ભરૂચ : સુશાસનના 5 વર્ષની ઉજવણીનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાયું

વિજય રૂપાણી સરકારના શાસનના 5 વર્ષ થશે પુર્ણ, 9મી ઓગષ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું કરાયું છે આયોજન

New Update
ભરૂચ : સુશાસનના 5 વર્ષની ઉજવણીનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાયું

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી પાંચ વર્ષ પુર્ણ કરવા જઇ રહયાં છે ત્યારે રવિવારથી ઉજવણી શરૂ કરી દેવાય છે. રવિવારે જ્ઞાનશકિત દિવસ અંતર્ગત ભરૂચમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાયું હતું.

રાજયમાં છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. રાજયના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી આગામી સાતમી ઓગષ્ટના રોજ પાંચ વર્ષ પુર્ણ કરવા જઇ રહયાં છે ત્યારે રાજય સરકાર તરફથી ઉજવણી કરવામાં આવશે. આજે રવિવારના રોજથી ઉજવણીની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે પ્રથમ દિવસને જ્ઞાનશકિત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ભરૂચમાં રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

Read the Next Article

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 9 જિલ્લાઓ હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ કર્યા જાહેર

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે,

New Update
guj

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જે દર્શાવે છે કે ચોમાસું 2025 રાજ્યમાં સંપૂર્ણપણે સક્રિય છે.

આવતીકાલનું હવામાન રાજ્યના કુલ 9 જિલ્લાઓ માટે મહત્ત્વનું રહેશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે. આ અંગે હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કર્યા છે.

આવતીકાલના વરસાદની આગાહી અને એલર્ટ

હવામાન વિભાગના વરસાદ સમાચાર મુજબ, આવતીકાલે જુલાઈ 7 ના રોજ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ – નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી માં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના પગલે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય પાંચ જિલ્લાઓ – અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ માં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.

તંત્ર અને નાગરિકો માટે સૂચનાઓ

વરસાદની આ આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને 'ઓરેન્જ એલર્ટ' ધરાવતા વિસ્તારોમાં લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે તેવી શક્યતા હોવાથી સાવધ રહેવા, અને વીજળીના કડાકા-ભડાકા સમયે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા જણાવાયું છે. વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Latest Stories