ભરૂચ : લિંકરોડથી હરનાથ મહાદેવ મંદિર સુધીના રૂ.35 લાખના ખર્ચે બનનારા રસ્તાનું ખાતમુહૂર્ત

ભરૂચ નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નિપનનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંકરોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો.

New Update
ભરૂચ : લિંકરોડથી હરનાથ મહાદેવ મંદિર સુધીના રૂ.35 લાખના ખર્ચે બનનારા રસ્તાનું ખાતમુહૂર્ત

ભરૂચ નંદેલાવ વિસ્તારમાં આવેલા લિંકરોડથી હરનાથ મહાદેવ મંદિર સુધીના રૂ.35 લાખના ખર્ચે બનનારા રસ્તાનું ભરૂચના ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નિપનનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંકરોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો. જે અંગે સ્થાનિકો ધારાસભ્યને રજૂઆતો કરી હતી.જેથી સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખી ધારાસભ્યએ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રૂ.35 લાખના ખર્ચે રસ્તાની ગ્રાન્ટ મંજુર કરી હતી.જેની ખાતમુહૂર્ત વિધિ ગતરોજ સાંજના હરનાથ મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી હતી.આ વિધિમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ભરૂચ જિલ્લા પંચાયતના કારીબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાંછાની,નંદેલાવના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપ સરપંચ પ્રકાશ મેકવાન સહિત પંચાયતના સભ્યોની ઉપસ્થિતમાં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.આ વિસ્તારના સ્થાનિકોની રસ્તાની માંગણી સંતોષાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.