ભરૂચ : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત રસોઈ સ્પર્ધા યોજાય, સ્પર્ધકોએ બનાવી અવનવી પૌષ્ટિક વાનગી...

આઝાદી કા અમૃત મહોત્સવ અને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ હેઠળ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધા યોજાઇ

New Update
ભરૂચ : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત રસોઈ સ્પર્ધા યોજાય, સ્પર્ધકોએ બનાવી અવનવી પૌષ્ટિક વાનગી...

ભરૂચ ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી.આઝાદી કા અમૃત મહોત્સવ અને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ હેઠળ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધા ભરૂચ સ્ટેશન રોડ મિશ્રશાળા ખાતે યોજાય હતી. મધ્યાહન ભોજન વિભાગ દ્વારા જિલ્લાના 9 તાલુકાની શાળાઓના સંચાલક, કુક કમ હેલ્પર અને 9 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી. આ પ્રસંગે નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન આર.જે.શાહ, સીડીપીઓ રિદ્ધિ ઝાલા, ICDS મનીષા દવે સહિતના આધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories