ભરૂચ : કોવીડથી મૃત્યુ પામેલાઓને સહાય આપવાની માંગણી, કોવીડ-19 ન્યાયપત્ર જાહેર
કોવીડથી મોતના કિસ્સાઓમાં ન્યાયિક તપાસની માંગ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ.
BY Connect Gujarat18 Aug 2021 12:44 PM GMT
X
Connect Gujarat18 Aug 2021 12:44 PM GMT
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક લોકોએ જીવ ગુમાવી દીધો છે ત્યારે મૃતકોના પરિવારને સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી માંગણી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી છે.
રાજયમાં વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા અને ભાજપની જન આર્શીવાદ યાત્રા બાદ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. કોંગ્રેસ પાર્ટી રાજયભરમાં કોવીડ-19 ન્યાયપત્ર જાહેર કરી રહી છે. જે અંતર્ગત કોવીડના કારણે મૃત્યુ પામેલાં દર્દીઓના કેસમાં ન્યાયિક તપાસ તેમજ મૃતકના પરિવારજનોને વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી બુધવારના રોજ કોવીડ-19 ન્યાયપત્ર જાહેર કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રભારી શંભુ પ્રજાપતિ, જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.
Next Story