Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમોદના દાંદા ગામે ખેડૂત સંમેલન યોજાયું, કેમિક્લના કારણે કપાસના પાકને નુકશાનના મામલે કરાયો વિરોધ

આમોદના દાંદા ગામે ખેડૂત સંમેલન યોજાયું, મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા ઉપસ્થિત.

X

ભરૂચના આમોદના દાંદા ગામે ખેડૂત સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી અને કેમિકલના કારણે કપાસ સહિતના પાકમાં થયેલ નુકશાની બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં ખેતીના પાકોમાં વિકૃતિ આવતા જગતનો તાત વિમાસણમાં મુકાઈ ગયો છે જે સંદર્ભે છેલ્લા દોઢ માસથી ધરતીપુત્રો દ્વારા સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ નિરાકરણ ન આવ્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે જે અંતર્ગત શુક્રવારે સાંજના સુમારે આમોદ તાલુકાના દાંદા ગામમાં ખેડૂતોનું એક સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત ખેડૂત સમાજના અધ્યક્ષ જયેશ પટેલ સહિતના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે આમોદ તાલુકાના વિવિધ ગામના ખેડૂતોએ પોતાના અભિપ્રાય રજુ કર્યા હતા. જેમાં સરકાર દ્વારા ખેતીના પાકોમાં જે વિકૃતિ આવી છે. તે બાબતે સરકાર પર દબાણ લાવવા અનુરોધ કરાયો હતો. અનેક આંદોલનો બાદ પ્રશ્નનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story