ભરૂચ : ઉમલ્લા ખાતે શ્રી રંગ અવધૂત દત્તબાવની પરિવાર દ્વારા કરાયું દત્તબાવની પાઠનું આયોજન

દત્ત ભગવાનની અને તેમના અવતાર એવા શ્રીપાદવલ્લભ અને શ્રી નૃસિંહસરસ્વતી સ્વામીની લીલાનું વર્ણન કરતો સ્તોત્ર માનવમાં આવે છે

New Update
ભરૂચ : ઉમલ્લા ખાતે શ્રી રંગ અવધૂત દત્તબાવની પરિવાર દ્વારા કરાયું દત્તબાવની પાઠનું આયોજન

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રંગ અવધૂત દત્ત બાવની પરિવાર દ્વારા દત્ત બાવનીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં હાજર ભાવિક ભક્તો દત્ત બાવનીમાં લીન થયા હતા.

દત્ત બાવની એટલે બાવન લીટીનું સ્તોત્ર કે, જેમાં દત્ત ભગવાનની અને તેમના અવતાર એવા શ્રીપાદવલ્લભ અને શ્રી નૃસિંહસરસ્વતી સ્વામીની લીલાનું વર્ણન કરતો સ્તોત્ર માનવમાં આવે છે, ત્યારે આ સ્તોત્ર સરખેજના ભક્ત કમળાશંકર ત્રિપાઠીની પત્ની સૌ. ધનલક્ષ્મી પિશાચપીડાને કારણે બીમાર રહેતા હતા. મુ. કમળાશંકરભાઈની વિનંતીને કારણે સૌ. ધનલક્ષ્મીબેનની પિશાચપીડાને દૂર કરવા આ સ્તોત્રની રચના નારેશ્વર નિવાસી સંતરાજ શ્રીરંગ અવધૂત મહારાજે કરી હતી. નારેશ્વરના રંગ અવધૂત મહારાજની અસીમ કૃપાથી ઉમલ્લાના નવીન પટેલ અને તેઓની ટીમ દ્વારા ગુજરાતના વિવિધ ગામોમાં અત્યાર સુધી 467 દત્ત બાવનીના પાઠ કરી ભક્તોને રંગ અવધૂત મહરાજની ભક્તિમાં લીન કર્યા છે, ત્યારે આવો જ એક દત્ત બાવનીનો પ્રોગ્રામ ઉમલ્લા સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રંગ અવધૂત મહરાજના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો, ત્યારે સમગ્ર ઉમલ્લા પંથકનું વાતાવરણ ભક્તીમય બન્યું હતું.

Read the Next Article

ભરૂચ:ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું કરાયુ આયોજન

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભોલાવ વિસ્તારમાં આયોજન કરાયું

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કાર્યક્રમ

  • સ્મૃતિસભાનું આયોજન કરાયુ

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવના નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ  ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના  યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમનો ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડૉ. મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો.