ભરૂચ: ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ

ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું

New Update
ભરૂચ: ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીની સામે પગલાં ભરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવાયું હતું

ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઈસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનુદદીન ચીશ્તી તેમના માટે વિશેષ છે ત્યારે મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડિયો ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઇન્ફિનિટિ સનાતન અપલોડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.જે વિડીયોમા સૂફી-સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનઉદ્દીન ચીશતી વિરુધ્ધ આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીનીએ ટિપ્પણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે સોશ્યલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે