ભરૂચ: ઝાડેશ્વરના અનુભૂતિધામ ખાતે શિવજ્યંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 88મી શિવજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ભરૂચ: ઝાડેશ્વરના અનુભૂતિધામ ખાતે શિવજ્યંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 88મી શિવજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેક કટીંગ અને ધ્વજા રોહણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમમાં ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદી,ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયો જોડાયા હતા