ભરૂચ: મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગરીબ જરૂરિયાતમંદોને અનાજની કીટનું કરાયું વિતરણ

પ્રાણીમાત્રના કલ્યાણની પ્રવૃતિઓમાં આગળ અને અબોલ જીવોની સેવા કરતી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશને પોતાની સેવામાં ભુખ્યાને ભોજન મળી રહે

New Update
ભરૂચ: મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ગરીબ જરૂરિયાતમંદોને અનાજની કીટનું કરાયું વિતરણ

પ્રાણીમાત્રના કલ્યાણની પ્રવૃતિઓમાં આગળ અને અબોલ જીવોની સેવા કરતી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશને પોતાની સેવામાં ભુખ્યાને ભોજન મળી રહે તેવા હેતુસર વડીલ વાત્સલ્ય વંદના પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે.વડીલ વાત્સલ્ય વંદના પ્રકલ્પ અંતર્ગત દાતાઓના સહયોગથી દર માસે જરૂરિયાત મંદોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.જેની શરૂઆત કરવામાં આવી છે.ધોરાજીના દાતા રંજનબેન હરિદાસ ચોરેરાના સહયોગથી ઉપસ્થિત સદગ્રહસ્થ દિનેશભાઇ અનડકટ, સંસ્થાના સંસ્થાપક જયેશભાઇ પરીખ અને ઉપસ્થિત સંસ્થાના હોદ્દેદારોના હસ્તે જરૂરિયાતમંદોને અનાજ કિતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories