ભરૂચ: આપની સ્વાભિમાન યાત્રાનું આમોદ નગરમાં ભ્રમણ, ચૈતર વસાવાનું ઠેર ઠેર સ્વાગત

ભય,ભૂખ અને ભ્રષ્ટચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

New Update
ભરૂચ: આપની સ્વાભિમાન યાત્રાનું આમોદ નગરમાં ભ્રમણ, ચૈતર વસાવાનું ઠેર ઠેર સ્વાગત

આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રાનું ભરૂચના આમોદ નગર સહીત વિવિધ ગામોમાં કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયુ હતું. લોકસભાની ચૂંટણીની પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોચતાં કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યોમાં ભય,ભૂખ અને ભ્રષ્ટચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા હવે વડીલ થઈ ગયા છે માટે એમને રીટાયર કરવા જોઈએ.જયારે ભાજપ દ્વારા મને અને મારા પરિવારને જેલમા મોકલી આપેલ અને મને ધાક ધમકી આપેલ કે તમે અમારી સાથે આવી જાવ પરંતુ મે કહ્યું કે તમારે મારી ઉપર જે પદ્ધતિ અપનાવવી હોય તે અપનાવી લો "લેકિન મે ઝુકુંગા નહિ."એમ પુષ્પા ફિલ્મના ડાયલોગનો ઉપયોગ કરી હાજર લોકોને ઉત્સાહિત કર્યા હતા.કોંગ્રેસના આગેવાનો બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મિટિંગ ભરૂચ યોજાઈ હતી.આગામી દિવસોમાં જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અમારી સાથે પ્રચારમા આવશે અને રાહુલજીની યાત્રા પણ તૈયારીમાં છે.તેઓ આગામી દિવસોમા અમારી સાથે ચૂંટણી પ્રચારમાં પણ જોડાશે.      

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


Read the Next Article

ભરૂચ : ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ઝઘડીયા-ઉમધરાના જવાનનું રાજપારડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

જવાન 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા

New Update
  • રાજપારડીના ચાર રસ્તા ખાતે યોજાયો સન્માન કાર્યક્રમ

  • ભારતીય સેનામાં ઉત્કૃષ્ટ ફરજ બજાવી જવાનની નિવૃત્તિ

  • વતન આવેલા જવાનનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું

  • જવાનના માદરે વતન ઉમધરા ગામે ભવ્ય રેલી યોજાય

  • દેશ સેવામાં આપેલા યોગદાન બદલ શુભેચ્છા પાઠવાય

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન પરત આવેલા જવાનનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતાં તેઓ વતન પરત ફર્યા હતાત્યારે તેઓના સન્માનમાં રાજપારડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

રાજપારડી ચાર રસ્તા ખાતે સત્યપાલસિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છેત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતાજ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આપેલા યોગદાન બદલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોટી સખ્યામાં ગ્રામજનો જોડાઈ દેશ ભક્તિના રંગે રંગાયા હતા.