ભરૂચ: ઝઘડીયા પંથકમાં જંગલોએ કેસર્યો ધારણ કર્યો હોય એવા દ્રશ્યો, કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો

ફાગણ માસના ધમધોખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન ધરાવે છે.

New Update
ભરૂચ: ઝઘડીયા પંથકમાં જંગલોએ કેસર્યો ધારણ કર્યો હોય એવા દ્રશ્યો, કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જંગલોમાં કેસુડો સોળે કળાએ ખીલી ઉઠયો જેને પગલે લોકોનું આકર્ષણ વધાર્યું છે

ફાગણ માસના ધમધોખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન ધરાવે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જંગલોમાં હોળી પહેલા જ કેસુડો સોળે કળાએ ખીલી ઉઠયો છે.ઝઘડીયા વિસ્તારમાં શિયાળાના અંતિમ ચરણમાં છે ત્યારે હોળી પહેલા જ પ્રકૃતિ મન મુકીને ખીલી ઊઠી છે કેસુડો ચોમેર ખીલ્યો છે. આ વિસ્તારમાં રસ્તા પર અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં કેસુડો ખીલી ઉઠ્યો છે. લોકો કેસુડાને મનભરીને માણી રહ્યા છે.ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો વાલિયા, ઝઘડિયાને કેસુડાના ફૂલનો ખજાનો માનવામાં આવે છે. ફાગણ માસમાં ભરૂચ જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં ઠેરઠેર કેસુડાના ખરેલા ફુલોથી ધરતી છવાયેલી રહે છે.

જો કે ફુલો થોડા દિવસોમાં બગડી જતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તાલોદરા ગામમાં કેસુડા જંગલમાં 1 હજારથી 1500 વૃક્ષ આવેલા છે. તેના પર હાલ કેસુડો જોવા મળતા લોકો તેને માણી રહ્યા છે.કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાંના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંસોધનો થઈ ચૂક્યા છે. જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસુડાંના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે. ત્યારે કેસુડાં જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઇ શકે છે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલોને જાણે કે ભૂલાવી દીધા છે. પરંતુ અંતરિયાળ ગામના લોકો આજે પણ કેસુડાના ગુણોને સમજીને કેસુડાંના રંગો સાથે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. અંતરિયાળ ગામોમાં હજુ પણ કેસુડાનો ઉપયોગ કરવામાં આવે છે.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.